નાણામંત્રી કનુભાઈ દેસાઈ ૧૭ ફેબ્રુઆરીના રોજ રજુ કરશે ૨૦૨૬-૨૭ નું રાજ્યનું બજેટ
ગુજરાતની વિધાનસભા ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થનારા પોતાના મહત્ત્વપૂર્ણ બજેટ સત્ર માટે તૈયાર છે. આ મુખ્ય મિલન આગામી નાણાકીય વર્ષ માટે રાજ્યના નાણાકીય રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં મુખ્ય આર્થિક દરખાસ્તો અને ફાળવણીની અપેક્ષા રાખવામાં આવે છે. આ સત્ર ઉદ્યોગપતિઓ, આર્થિક વિશ્લેષકો અને સામાન્ય જનતા સહિત વિવિધ હિતધારકોનું નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કરે તેવી અપેક્ષા છે, કારણ કે તે સરકારની ખર્ચ અગ્રતા અને વિકાસ કાર્યસૂચિની રૂપરેખા આપે છે. ૨૫ માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં બજેટ ઉપરાંત આતંકવાદ પ્રતિબંધિત કાયદા માં સુધારા સહીત અન્ય મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચનથી થશે. ત્યારબાદ ગુજરાતના નેતાઓના મૃત્યુ થયા હોય તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સત્રની શરૂઆતમાં જ ડેપ્યુટી સ્પીકરની ચુંટણી કરવામાં આવશે. બી.જે.પી. ના પુર્ણેશ મોદી તથા કોંગ્રેસના શૈલેશ પરમાર એ ડેપ્યુટી સ્પીકરની ચુંટણી માટે ફોર્મ ભર્યા છે. ડેપ્યુટી સ્પીકર તરીકે જેઠા ભરવાડનાં રાજીનામાંથી આ જગ્યા ખાલી પડી છે. બી.જે.પી. પાસે પૂર્ણ બહુમતી હોય, પુર્ણેશ મોદી સરળતાથી ડેપ્યુટી સ્પીકરની ચુંટણી સરળતાથી જીતી લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.