રાજકોટમાં મેગા ડિમોલિશન અભિયાન
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં શરૂ કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન આજે બીજા દિવસે પણ અત્યંત આક્રમક રીતે ચાલુ રહ્યું છે.
ગઈકાલે ૧૧૦૦થી વધુ ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કર્યા બાદ, આજે બાકી રહેલા અંદાજે ૩૦૦ જેટલા દબાણોને હટાવવા માટે તંત્ર સવારથી જ મેદાને પડ્યું છે.
આ ઓપરેશનથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રથમ દિવસની મોટી કાર્યવાહી અને આજનું લક્ષ્ય: સોમવારે વહેલી સવારથી હાથ ધરાયેલી આ કામગીરીમાં અંદાજે ૩૧૨ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ભૂમાફિયાઓના કબજામાંથી મુક્ત કરાવવામાં આવી હતી.
આજે બીજા દિવસે તંત્રએ તે તમામ 'પ્રેશર પોઈન્ટ્સ' પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે હજુ પણ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના માર્ગમાં અવરોધરૂપ બની રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ભૂમાફિયાઓ પર પ્રહાર
આ મેગા ડિમોલિશન અંગે પ્રતિક્રિયા આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં હવે ગુંડાતત્વો કે ભૂમાફિયાઓનું સામ્રાજ્ય ચાલશે નહીં.
લોખંડી પોલીસ બંદોબસ્ત અને ટેકનોલોજીનો ઉપયોગ: સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો, એસઆરપીની ટુકડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ખડેપગે તૈનાત છે.
આ વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સતત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય.
શહેરના વિકાસ માટે ઐતિહાસિક કદમ
આ મેગા ઓપરેશન પૂર્ણ થયા બાદ જંગલેશ્વર વિસ્તારનો નકશો સંપૂર્ણપણે બદલાઈ જશે. આજી રિવરફ્રન્ટના નિર્માણ માટેનો રસ્તો હવે સાવ સાફ થઈ ગયો છે.
વર્ષોથી અટવાયેલા વિકાસના કામો હવે વેગ પકડશે. તંત્રની આ ઝીરો ટોલરન્સ નીતિને કારણે ગેરકાયદે કબજો જમાવી બેઠેલા તત્વોમાં ફફડાટ છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં વિકાસની આશા જાગી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.